Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં તરૂણીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગર શહેરમાં તરૂણીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

પાડોશી યુવક સાથેનો પ્રેમ સંબંધ પરિવારને પસંદ ન હતો : પ્રેમસંબંધ મામલે માતા-પિતાએ સમજાવતા તરૂણીને જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના નવાગામ ઘેડમાં રહેતી તરૂણીને તેણીના પડોશમાં રહેતાં યુવક સાથે પ્રેમ હતો. પરંતુ યુવકના પરિવારજનો તરૂણીના માતા-પિતાને ગમતા ન હોવાનું મનમાં લાગી આવતા તરૂણીએ જી.જી. હોસ્પિટલના પી.જી. હોસ્ટેલના રૂમ નં.420 મા ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડમાં પંચાયત ઓફિસની બાજુમાં રહેતી હેતલબેન શામજીભાઈ મકવાણા (ઉ.વ.17) નામની તરૂણીને તેની પાડોશમાં રહેતાં યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ, યુવકનો પરિવાર તરૂણીના માતા-પિતાને ગમતો ન હતો. જેથી તરૂણીને તેણીના માતા-પિતાએ આ બાબતે સમજાવી હતી. જો કે, તરૂણીને માતા-પિતાએ સમજાવ્યાનું મનમાં લાગી આવતા ગુરૂવારે બપોરના સમયે જી.જી. હોસ્પિટલની પી.જી.હોસ્ટેલના રૂમ નં.420 માં પંખાના હુંકમાં ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા હેકો પી.કે.વાઘેલા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકની માતા જ્યોતિબેનના નિવેદનના આધારે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular