Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયINS રણવીર પર વિસ્ફોટ, ત્રણ જવાન શહિદ

INS રણવીર પર વિસ્ફોટ, ત્રણ જવાન શહિદ

- Advertisement -

મુંબઈમાં ભારતીય નૌકાદળના જહાજ INS રણવીરમાં બ્લાસ્ટ થયો છે. જેમાં નેવીના ત્રણ જવાન શહીદ થયા છે. આ દુર્ઘટના વિશે માહિતી આપતા ભારતીય નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું કે આજે નેવલ ડોકયાર્ડ મુંબઈમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. INS રણવીરના આંતરિક ડબ્બામાં થયેલા વિસ્ફોટમાં નેવીના 3 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. જોકે. અકસ્માત બાદ જહાજના ક્રૂએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

- Advertisement -

કહેવામાં આવી રહ્યું છે કે નેવીએ બ્લાસ્ટની તપાસના આદેશ આપ્યા છે. INS રણવીર ઈસ્ટર્ન નેવલ કમાન્ડ તરફથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ પર તૈનાત હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પરત આવવાનું હતું. અકસ્માતના કારણની તપાસ માટે બોર્ડ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 11 જવાનો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. જેમની સ્થાનિક નેવી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે જ સમયે શહીદ નૌકાદળના જવાનોની ઓળખ હજુ સુધી જાણી શકાઈ નથી.

INS રણવીર ભારતીય નૌકાદળના પાંચ વર્ગના વિનાશકમાં ચોથું છે. તેને 36 વર્ષ પહેલા 28 ઓક્ટોબર 1986ના રોજ નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ વિનાશક જહાજની લંબાઈ 147 મીટર (482 ફૂટ) છે. તેની ઝડપ 35 નોટ્સ (65 કિમી/કલાક) છે. તે 35 અધિકારીઓ સહિત 310 ખલાસીઓના ક્રૂ દ્વારા સંચાલિત છે. INS રણવીર હથિયારો અને સેન્સરથી સજ્જ છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular