Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરમુખ્યમંત્રીના હસ્તે જામનગરમાં 214 કરોડના વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત

મુખ્યમંત્રીના હસ્તે જામનગરમાં 214 કરોડના વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત

મુખ્યમંત્રી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે : 30 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું ‘ડો. બાબાસાહેબ આંબેડકર’ નામકરણ

- Advertisement -

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જીયુડીસી તથા પીપીપી આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સહિતના વિવિધ વિકાસકામોનું આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ તેમજ ઇ-ખાતમૂહુર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે દિગ્જામ સર્કલ નજીક બનેલ નવો રેલવે ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

- Advertisement -

જામનગરમાં આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમુહુર્તનું સવારે 9-30 વાગ્યે મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી વર્ચ્યુઅલી જોડાશે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જીયુડીસી તથા પીપીપી આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ તથા જીયુડીએમ તેમજ 15માં નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગતના કુલ રૂા. 214 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની સાથે દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફ જતાં માર્ગ પર નવનિર્મિત ડૉ.બાબાસાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રીજ, નાગમતિ નદીના પુલથી હાપા માર્કેટીંગ યાર્ડને જોડતાં ફોરલેન રોડનું લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત ડીઆઇ પાઇપલાઇન દ્વારા વોટરસપ્લાયનું કામ, જામનગર શહેરમાં જુદી-જુદી જગ્યાએ આસ્ફાલ્ટ રોડના કામો તથા હાપા ખાતે યુસીએચસી સેન્ટર બનાવવાના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યઅતિથિ તરીકે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. તેમજ કમિશનર વિજયકુમાર ખરાડી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઇ કટારિયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા તથા વિરોધપક્ષ નેતા આનંદભાઇ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular