Sunday, May 18, 2025
Homeરાજ્યજામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં ખખડધજ રોડમાં ભ્રષ્ટાચારની બૂ

જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં ખખડધજ રોડમાં ભ્રષ્ટાચારની બૂ

જાગૃત નાગરિક દ્વારા આરટીઆઇ કરાઇ

જામજોધપુર વિસ્તારમાં શહેરી વિકાસ માટે વિવિધ વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યા છે. શહેરમાં આઠ મહિનામાં સાત રોડ બન્યા છે. આ રોડની હાલત દયનિય છે. અમુક રોડ તો દોઢ-બે મહિનામાં તૂટી ગયા છે. જેને કારણે વાહનો ચલાવવા મુશ્કેલ થઇ રહ્યું છે. ત્યારે ચોમાસુ આવતા સ્થિતિ વધુ બગડશે. આ માટે કોન્ટ્રાકટર કે જે પણ કોઇ જવાબદાર હોય તેમની સામે પગલાં લેવાવા જોઇએ અને તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ આ અંગે રોડની ગુણવત્તા અંગે જામજોધપુરના જાગૃત નાગરિક હરેશ ચિત્રોડાએ આરટીઆઇ કરી તપાસ માંગી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular