Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી કન્સ્ટ્રકશનનો વ્યવસાયી યુવાન લાપત્તા

જામનગર શહેરમાંથી કન્સ્ટ્રકશનનો વ્યવસાયી યુવાન લાપત્તા

- Advertisement -

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતો અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતો યુવાન તેના ઓફિસથી નિકળ્યા બાદ લાપતા થઈ જતાં પોલીસે યુવાનની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની કાવ્યા રેસીડેન્સીમાં રહેતાં અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતો નિલેશ ભીખુભાઈ અસ્વાર (ઉ.વ.42) નામનો યુવાન ગત તા.20 જાન્યુઆરીના રોજ સાંજના સમયે માધવ પ્લાઝામાં આવેલી તેની ઓફિસથી કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો હતો. ત્યારબાદથી નિલેશનો કોઇ પત્તો ન લાગતા યુવાનની પત્ની તૃપ્તિબેન દ્વારા જાણ કરાતા હેકો જે.બી. સોચા તથા સ્ટાફે ગુમ નોંધના આધારે પાંચ ફુટ પાંચ ઈંચ ઉંચાઈ ધરાવતા સફેદ કલરનું ટીશર્ટ અને બ્લુ કલરનું જીન્સ પહેરેલા મધ્યમ બાંધાના ડાબા હાથની કલાઇથી નીચેના ભાગમાં તૃપ્તિ ત્રોફાવેલ યુવાનની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular