Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયજમ્મુમાં સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયું, બન્ને પાયલોટના મૃત્યુ

જમ્મુમાં સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયું, બન્ને પાયલોટના મૃત્યુ

- Advertisement -

જમ્મુ કાશ્મીરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પટનીટોપ વિસ્તારમાં શિવગઢના જંગલમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. સૂચના મળતાની સાથે જ સેના અને પોલીસની ટીમને રવાના કરી દીધી હતી. બન્ને પાયલોટને સારવાર અર્થે લઇ જતી વખતે તેઓના મૃત્યુ નીપજ્યા હતા.

- Advertisement -

સેનાની ટીમ હેલિકોપ્ટરના કાટમાળને ખસેડવા લાગી ગઈ છે. હેલિકોપ્ટક ક્રેશ થયું કે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું તે હજુ સુધી સામે આવ્યું નથી. અધિકારીઓએ જાણકારી આપી છે કે આ ઘટના જિલ્લાના શિવગઢ ધાર વિસ્તારમાં સવારે 10 થી 11ના સમયની વચ્ચે બની હતી. આ હેલિકોપ્ટર સેનાના એવિએશન કોરનું છે. 

હેલિકોપ્ટરના ક્રેશ થતા જ જોરદાર અવાજ આવતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેમણે ઘાયલ પાયલટોને હેલિકોપ્ટરની બહાર કાઢ્યા હતા. પરંતુ સારવારમાં લઇ જતી વખતે બન્નેના મૃત્યુ નીપજ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular