Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના સીક્કાના પ્રૌઢનું હોસ્પિટલમાં મોત

જામનગર તાલુકાના સીક્કાના પ્રૌઢનું હોસ્પિટલમાં મોત

ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન સમયે મૃત્યુ : પોલીસની દરમિયાનગીરી બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતા પ્રૌઢને શહેરમાં એસ ટી ડેપો રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું ઓપરેશનમાં લઇ જતા સમયે મોત નિપજતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા પોલીસની દરમિયાનગીરી બાદ મામલો થાળે પડયો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીકકા ગામમાં રહેતા નુરમામદ ઈસ્માઇલ સુંભણિયા (ઉ.વ.55) નામના પ્રૌઢને ચાર દિવસ પૂર્વે જામનગર શહેરમાં એસ ટી ડેપો રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું ગઈકાલે ઓપરેશન સમયે મોત નિપજ્યું હતું. દર્દીનું મોત નિપજતા પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો અને મામલો ગરમાતા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં પોલીસની દરમિયાનગીરી બાદ મૃતકના પરિવારજનોને સમજાવતા મામલો થાળે પડયો હતો અને પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular