આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે મેઘાલયના શિલોંગમાં એક પ્રતિષ્ઠિત નાગરિક સંમેલનને સંબોધિત કર્યું. મીટિંગની શરૂઆત પરંપરાગત ખાસી સ્વાગત સાથે થઈ હતી, જેમાં પરંપરાગત પોશાક પહેરેલા આરએસએસ વડાનો સમાવેશ થતો હતો. તેમણે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે હિમાલયની દક્ષિણે, હિંદ મહાસાગરની ઉત્તરે અને સિંધુ નદીના કિનારાના રહેવાસીઓને પરંપરાગત રીતે હિન્દુ કહેવામાં આવે છે. ઇસ્લામ ફેલાવનારા મુઘલો અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા બ્રિટિશ શાસકો પહેલા પણ હિન્દુઓ અસ્તિત્વમાં હતા. હિંદુ ધર્મ એ ધર્મ નથી, પરંતુ જીવન જીવવાની રીત છે.આરએસએસના વડાએ કહ્યું કે, હિંદુ શબ્દ એ તમામ લોકોનો સમાવેશ કરે છે
જેઓ ભારત માતાના પુત્રો છે, ભારતીય પૂર્વજોના વંશજ છે અને જેઓ ભારતીય સંસ્કૃતિ અનુસાર જીવે છે. હિન્દુ બનવા માટે ધર્મ બદલવાની જરૂર નથી, કારણ કે ભારતમાં દરેક વ્યક્તિ હિન્દુ છે. આપણે હિન્દુ છીએ, પણ હિન્દુની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, એ આપણી ઓળખ છે. ભારતીય અને હિન્દુ બંને શબ્દો સમાનાર્થી છે. ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિંદુ છે. તે ભૂ-સાંસ્કૃતિક ઓળખ છે. ભારત પશ્ચિમી ખ્યાલ દેશ નથી. તે પ્રાચીન સમયથી સાંસ્કૃતિક દેશ છે. હકીકતમાં આ એક એવો દેશ છે જેણે દુનિયાને માનવતાનો પાઠ ભણાવ્યો છે. સંમેલનને સંબોધતા મોહન ભાગવતે કહ્યું, ‘ભારતની એકતા તેની તાકાત છે. ભારત જે વિવિધતાનો દાવો કરે છે તે ગૌરવની વાત છે.
આ પ્રસ્તાવિત પગલુ સુપ્રીમ કોર્ટના હાલમાં જ આવેલ એક ઐતિહાસીક ચૂકાદા પછી લેવાઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે બેનામી લેવડ દેવડ કાયદામાં 2016ના સુધારા પછીની તારીખથી લાગુ નહીં કરવાનો ચુકાદો આપ્યો હતો અને કાયદામાં આવી લેવડ દેવડને ગુનાહિત અને જેલ જેવી સખત સજાવાળી કેટલી જોગવાઇઓ પણ રદ કરી હતી. જેના નામે સંપતિ ખરીદાઇ હોય તે તેના ખરેખર લાભાર્થી ના હોય તેવી સંપતિ બેનામી કહેવાય છે. ઓફીશ્યલ આંકડાઓ અનુસાર, 31મે 2019 સુધીમાં 9600 કરોડથી વધારે કિંમતની બેનામી સંપતિ સાથે સંકળાયેલા 2100 થી વધારે કેસોમાં કારણદર્શક નોટીસો અપાઇ હતી. તેમાંથી મોટા ભાગની નોટીસો સુધારેલો નિયમ લાગુ થયા પહેલાના સોદા માટેની હતી.હિન્દુ ધર્મ એક જીવનશૈલી છે : શિલોંગમાં નાગરિક સંમેલનને ભાગવતનું સંબોધન