Friday, March 29, 2024
Homeરાજ્યતરઘડી પાસે અકસ્માત, 4નાં મોત

તરઘડી પાસે અકસ્માત, 4નાં મોત

- Advertisement -

રાજકોટ નજીક પડધરી તાલુકાના તરઘડી ગામ નજીક ઉમિયા ચાના કારખાના પાસે રાજકોટ-જામનગર હાઇવે પર આજે વહેલી સવારે ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા રાજકોટના બે યુવાન સહિત ચારના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે મળતી વિગત મુજબ આજે સવારે નવેક વાગ્યા આસપાસ રાજકોટ-જામનગર હાઇવે પર તરઘડી પાસે કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક હિમાંશુ પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.32, રહે. ઠેબા ચોકડી, જામનગર) કારમાં ચાલકની બાજુની સીટમાં બેઠેલ અજય પ્રવિણભાઇ જોષી (ઉ.વ.ર8, રહે. રાજકોટ) કારમાં પાછળની સીટમાં બેસેલ અજય છગનભાઇ પરમાર (ઉ.વ.20, રહે. કાલાવડ રોડ, આંબેડકરનગર, રાજકોટ) અને ટ્રેકટર ચાલક ખેડુત કિરીટભાઇ લીંબાભાઇ ડોબરીયા (ઉ.વ.40, રહે. ફતેપરા ગામ તા. પડધરી)નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજતા હાઇવે મોતની ચીસોથી ગુંજી ઉઠયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular