Sunday, April 28, 2024
Homeરાજ્યકાનાલુસ નજીક ટ્રેન હેઠળ આવી જતાં યુવાનનું ઘટના સ્થળે મોત

કાનાલુસ નજીક ટ્રેન હેઠળ આવી જતાં યુવાનનું ઘટના સ્થળે મોત

પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ

- Advertisement -

લાલપુર તાલુકાના કાનાલુસ રેલવે સ્ટેશનથી મોડપર તરફના રેલવે ટ્રેક પર મંગળવારે રાત્રિના સમયે પસાર થતી ઓખા-સોમનાથ ટ્રેન હેઠળ આવી જતાં અજાણ્યા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ રેલવે સ્ટેશનથી મોડપર તરફના રેલવે ટે્રક પરથી મંગળવારે રાત્રિના સમયે પસાર થતી ઓખા-સોમનાથ ટ્રેન હેઠળ આવી જતાં આશરે 45 વર્ષના યુવાનને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની નિરંજનકુમાર દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.ઓ. કુરેશી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular