જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ માલધારી હોટલ પાસેથી પસાર થતા શખ્સને એલસીબીની ટીમે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.8400 ની કિંમતની 21 બોટલ દારૂ મળી આવતા પોલીસે સપ્લાયર સહિતના બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસેથી દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની એલસીબીના મયુદ્દીન સૈયદ, અરજણ કોડીયાતરને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા તથા સ્ટાફે વોચ ગોઠવી માલધારી હોટલ પાસેથી પસાર થતા નરેન્દ્રસિંહ સુરુભા જેઠવાને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.8400 ની કિંમતની 21 બોટલ ઈંગ્લીશ દારૂ અને રૂા.500 ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.8900 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પુછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો દિલ્હીના ગૌરવકુમાર દ્વારા સપ્લાય કરાયો હોવાની કેફીયત આપતા એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.