Monday, March 23, 2026
Homeરાજ્યઅકળ કારણોસર નંદાણાના યુવાનનો આપઘાત

અકળ કારણોસર નંદાણાના યુવાનનો આપઘાત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતાં યુવાને અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા અજયભાઈ કાનાભાઈ મકવાણા (ઉ.વ.35) નામના યુવાને ગત તારીખ 15 મીના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ સંજયભાઈ કાનાભાઈ મકવાણાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular