
ગુજરાત રાજયમાં સરકારના નવા મંત્રીઓના શપથ ગ્રહણબાદ આજે જામનગર આવેલાં નવનિયુકત કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જામનગરમાં ડો.નિલેષ ગઢવીની ભગવતી હોસ્પિટલમાં પેપ સ્મિયર કેમ્પનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ધાટન સમારોહમાં મેયર બિનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ અને ભાજપના ડોકટર સેલના સૌરાષ્ટ્ર ઝોન કન્વિનર ડો.અતુલ વેકરિયા અને આઇએમએના કોર કમિટિના ડો.વિજય પોપટ તથા ભાજપા શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા પૂર્વ મેયર અમિબેન પરીઘ સહિતના હોદેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



