Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરરાજકોટમાં રોજ 5000 યુવાઓનું અને જામનગરમાં માત્ર 1500 યુવાઓનું વેક્સિનેશન શા...

રાજકોટમાં રોજ 5000 યુવાઓનું અને જામનગરમાં માત્ર 1500 યુવાઓનું વેક્સિનેશન શા માટે ?!

જામનગરમાં યુવાઓનું રસીકરણ વરસો સુધી ચાલશે!

રાજકોટનો અહેવાલ જણાવે છે કે, સેશન સાઇટ અને રસીના જથ્થા મામલે સરકારની સુચના છે કે, વધુમાં વધુ 5000 યુવાઓનું જ રોજ વેક્સિનેશન કરવું. આ નિવેદન રાજકોટના મ્યુનિસિપલ કમિશ્ર્નરનું છે.

- Advertisement -

રાજકોટમાં 18 થી 44 વર્ષના યુવાઓ વેક્સિન લેવા માટે થનગને છે. પરંતુ દરરોજ વધુમાં વધુ માત્ર 5000 લોકોને જ વેક્સિન આપવામાં આવશે. એવી રાજય સરકારની સુચના છે.

તેની સામે જામનગરની સ્થિતિ કંગાળ છે. યુવાઓ માટે સાંજે 5 વાગ્યે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થાય છે. કોઇ પણ સેશન સાઇટ પર 100 આસપાસ લોકો નોંધણી કરાવી લ્યે એટલે તરત આ સેશન સાઇટ ફુલ્લી બ્લોકડ જાહેર થઇ જાય છે. પછી તેના પર યુવાઓ નોંધણી કરાવી શકતા નથી. આજે ચોથી મે માટે મહાનગરપાલિકાએ ગઇકાલે સોમવારે 15 સેશન સાઇટ જાહેર કરી હતી.  આ હિસાબે ગણીએ તો આજે વધુમાં વધુ 1500 યુવાઓનું વેક્સિનેશન થશે.

- Advertisement -

જામનગરની અંદાજીત વસ્તી 7 લાખ ગણો અને તેમાં 18 થી 44 વર્ષના લોકોની વસ્તી 2થી 3 લાખ ગણો તો રોજના 1500 યુવાઓનું વેક્સિનેશન થાય તો  શહેરના તમામ યુવાઓનું વેક્સિનેશન થવામાં  કેટલાં વર્ષ લાગે ? માંડો ત્રિરાશિ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular