Friday, December 5, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયભારતની મદદે આવ્યું ફ્રાંસ, કોરોના મહામારી સામે કરશે આ મોટી મદદ

ભારતની મદદે આવ્યું ફ્રાંસ, કોરોના મહામારી સામે કરશે આ મોટી મદદ

કોરોનાની બીજી લહેરમાં ભારતમાં કેસ સતત વધી રહ્યા છે. દેશના લાખો લોકોનું જીવન સંકટમાં છે. દેશમાં ઓક્સીજનના અભાવના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. તેવામાં મહામારી સામે લડી રહેલા ભારતની મદદ માટે અનેક દેશો આગળ આવ્યા છે. ત્યારે ફ્રાંસ દ્રારા પણ મોટી મદદ કરવામાં આવશે.

- Advertisement -

ફ્રાન્સ ભારતને 8 ઉચ્ચ ક્ષમતાવાળા ઓક્સિજન જનરેટર આપશે, આ ઉપરાંત 2000 દર્દીઓ માટે 5દિવસનો લિક્વિડ ઓક્સિજન પણ મોકલશે. આ સાથે જ ફ્રાન્સ 28 વેન્ટિલેટર અને ICUના સાધનો પણ ભારતને આપશે. ફ્રાન્સના રાજદૂત ઈમેનુએલ લૈનેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. જે 8 ઑક્સીજન જનરેટર મોકલવામાં આવશે તેને ફ્રાન્સની SME દ્વારા બનાવવામાં આવેલા છે. આગામી દસ વર્ષ સુધી હોસ્પિટલો સ્વયં જ આ જનરેટરની મદદથી જાતે ઓક્સિજનઉ ઉત્પાદન કરી શકશે. આ જનરેટર હવામાંથી મેડિકલ ઓક્સિજન બનાવી શકે છે. દરેક જનરેટર હોસ્પિટલના 250 બેડ પર સતત ઓક્સિજન સપ્લાય કરી શકે છે. તે એક સાથે 15 કોરોનાના ગંભીર દર્દીઓ, 30 ICUના દર્દીઓ અને 150 ઓક્સિજન જરૂરીયાતમંદ દર્દીઓને ઓક્સિજન પહોંચાડવામાં સક્ષમ છે.

આ સાથે જ, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન અને યુરોપિયન યુનિયન દ્વારા રોગચાળા સામે ભારતને મદદ કરવાની યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. આ દેશો ભારતને અનેક મેડીકલ સુવિધાઓ પૂરી પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular