Wednesday, August 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં તબિયત લથડતાં યુવાનનું મોત

જામનગરમાં તબિયત લથડતાં યુવાનનું મોત

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં કોળીના દંગામાં રહેતાં યુવાનની તબિયત લથડતાં ઉલ્ટી થવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યૂં હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા વેલનાથ કોળીના દંગામાં રહેતાં મુકેશભાઇ ખોડુભાઇ ઝીંઝુવાડિયા (ઉ.વ.50) નામના યુવાનની ગત્ તા. 09ના રોજ રાત્રિના સમયે તબિયત લથડતાં ઉલ્ટી-ઉબકા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર રાજેશ દ્વારા જાણ કરાતા એએસઆઇ એસ. એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular