જામનગર શહેરના અંધાશ્રમ આવાસ પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેઇન સાથે અથડાતા અજાણ્યા વૃદ્ધનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ પાસે આવેલા રેલવે પોલ 830/18 થી 830/20 વચ્ચેના ગાળામાંથી ગઇકાલે બપોરના સમયે પસાર થતી ટ્રેઇન સાથે 60 વર્ષના અજાણ્યા વૃદ્ધ ભટકાતા શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ અંગે રેલવે ગેટમેન અરુણકુમાર દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઇ આર. એલ. કંડોરિયા તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


