ભાણવડ તાલુકાના સઇ દેવળિયા ગામમાં રહેતાં વૃદ્ધને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડતા તેનું મોત નિપજતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ શીરા (ઉ.વ. 62) નામના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેઓ ખેતરમાં પટકાઈ પડ્યા હતા અને નાના અણીદાર પથ્થરો ઉપર પડ્યા હતા. આમ, હાર્ટ એટેકના કારણે ઇજાગ્રસ્ત હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પત્ની સુમિત્રાબેને કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


