બરફવર્ષા પછી બદ્રીનાથ મંદિર ખૂબ જ સુંદર દેખાય છે. થોડા દિવસોથી સતત બરફવર્ષા થઈ રહી હતી. હવે બરફવર્ષા બંધ થઈ ગઈ છે, અને ભગવાન બદ્રીવિશાલનું મંદિર ખૂબ જ સુંદર લાગે છે.

સતત ત્રણ દિવસ સુધી ભારે હિમવર્ષા થયા બાદ, આજે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં હવામાનમાં થોડી રાહત મળી. હિમવર્ષા બંધ થઈ ગઈ છે, જેના જે કારણે મંદિરનો નજારો અદભુત થઈ ગયો છે. બરફની જાડી ચાદર આખા સંકુલને ઢાંકી દીધી છે, જેના થી એક અદભુત અને મનમોહક દૃશ્ય સર્જાયું છે. બદ્રીનાથ ધામ સંપૂર્ણપણે સફેદ બરફથી ઢંકાયેલું છે. બધે બરફના જાડા પડ દેખાય છે, અને બરફવર્ષાને કારણે લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.
બદ્રીનાથ ધામ ખાતે ચાલી રહેલા માસ્ટર પ્લાનના કામ પર હવામાનની અસર પડી છે, અને અન્ય ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્જેટ્સને અસ્થાયી રૂપે અટકાવવા પડ્યા છે. જોકે, આજે બદ્રીનાથ ધામમાં તેજસ્વી સૂર્યપ્રકાશ ચમક્યો છે, જેના થી ઠંડીથી રાહતની આશા જાગી છે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસોમાં ઉત્તરાખંડના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષાની ફરી ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસોમાં ઉત્તરાખંડના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષાની ફરી ચેતવણી જારી કરી છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા:

ભારતીય હવામાન ના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હવામાન ફરી બદલાવાની તૈયારીમાં છે. વિભાગ (IMD) એ 23 અને26 માર્ચે હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. 23 તારીખે ઉત્તરાખંડમાં પણ બરફવર્ષા થવાની સંભાવના છે. વરસાદ અને હિમવર્ષાને કારણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ઠંડી વધી શકે છે.


