Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદિલ્હીમાં નાપાક હરકત બાદ ડરપોક પાકિસ્તાન ફફડયું

દિલ્હીમાં નાપાક હરકત બાદ ડરપોક પાકિસ્તાન ફફડયું

વાયુસેના એલર્ટ પર : પશ્ચિમી સરહદ પર ફાઇટર જેટ પેટ્રોલિંગ

દિલ્હી બોમ્બ વિસ્ફોટો બાદ, પાકિસ્તાન ગભરાઈ ગયું અને રાજસ્થાન સાથેની સરહદ પર વાયુસેના પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. તેના ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓએ એક તાકીદની બેઠક યોજી હતી. વડાપ્રધાન શાહબાઝ શરીફે મોડી રાત સુધી NSA અને ISI ના ડિરેક્ટર જનરલ સાથે પણ બેઠકો કરી. દરમિયાન, યુકે વિદેશ કાર્યાલયએ વિસ્ફોટ બાદ ભારતના અમુક વિસ્તારો માટે મુસાફરી સલાહ જારી કરી છે. બ્રિટિશ સરકારે તેના નાગરિકોને ભારત-પાકિસ્તાન સરહદથી 10 કિલોમીટરની અંદર અને જમ્મુ-કાશ્મીર અને મણિપુર રાજ્યોમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે.દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં 11 લોકોના મોત થયા હતા, પરંતુ ત્રણ કલાક પછી, ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી કે મૃત્યુઆંક આઠ છે. ત્યારબાદની હોસ્પિટલની યાદીમાં નવ મૃત્યુની યાદી આપવામાં આવી હતી.

- Advertisement -

યુએસ એમ્બેસીએ પણ તેના નાગરિકોને ચેતવણી જારી કરી છે, જેમાં તેમને લાલ કિલ્લા અને પ્રવાસીઓની ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને હંમેશા સતર્ક રહેવા જણાવ્યું છે. દરમિયાન, ફ્રેન્ચ દૂતાવાસે જણાવ્યું હતું કે, 10 નવેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનું કારણ અને જાનહાનિનો આંકડો હાલમાં સ્પષ્ટ નથી.

ફ્રેન્ચ દૂતાવાસે દિલ્હીમાં તેના નાગરિકોને સતર્ક રહેવા અને ભીડવાળા વિસ્તારો અને ઘટના સ્થળથી દૂર રહેવાની સલાહ આપી છે. ફ્રેન્ચ પ્રવાસીઓને “ફિલ ડી’એરિયન” પોર્ટલ પર નોંધણી કરાવવાનું પણ કહેવામાં આવ્યું છે જેથી કટોકટીની સ્થિતિમાં તેમનો સંપર્ક કરી શકાય.દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ અંગે ઈરાની દૂતાવાસે શોક વ્યક્ત કર્યો છે. એક સત્તાવાર નિવેદનમાં, દૂતાવાસે કહ્યું ઈરાનનું દૂતાવાસ દિલ્હી વિસ્ફોટમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા ભારતીય નાગરિકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. આ દુ:ખની ઘડીમાં અમે ભારત સરકાર અને ભારતીય લોકો સાથે ઉભા છીએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular