જામનગર શહેરના સત્યમ કોલોની રોડ પર આવેલા શકિત સોસાયટીમાંથી રહેતા યુવાને તેના રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં સત્યમ કોલોની રોડ પર આવેલી શકિત સસાયટી શેરી નંબર-8 માં રહેતા હરપાલસિંહ તખતસંગ ગેડિયા (ઉ.વ.27) નામના યુવાને રવિવારે બપોરના સમયે તેના ઘરે અગમ્યકારણોસર મકાનના રૂમની આડસમાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવની વજેસંગભાઈ દોઢીયા દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઈ ડી.જે. જોશી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.


