Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારકોચુવેલી-સિકંદરાબાદ ટ્રેનને ભાણવડ સ્ટોપ આપવા સાંસદને રજૂઆત

કોચુવેલી-સિકંદરાબાદ ટ્રેનને ભાણવડ સ્ટોપ આપવા સાંસદને રજૂઆત

- Advertisement -

ભાણવડ વિસ્તારને કોચૂવેલી અને સિકંદરાબાદ દોડતી લાંબા અંતરની ટ્રેઇનનો સ્ટોપ ના હોવાથી મુસાફરોમાં રોષ જોવા મળે છે. આ બાબતે શહેર ભાજપ ઉપપ્રમુખ નિરવ રાજાણીએ ભાવનગર ડિવિઝન સહિત સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરી ઘટતી કાર્યવાહી કરવા માગણી કરી છે.

- Advertisement -

ભાણવડ વિસ્તારની મુસાફર જનતા સાથે રેલતંત્ર અન્યાય કરી રહ્યાનું લોકો માની રહ્યા છે. ખાસ કરીે લાંબા અંતરની ટ્રેઇનના સ્ટોપ બાબતે ધ્યાન અપાતું જ નથી. ભાણવડના રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતી પોરબંદર-કોચુવેલી વિકલી ટ્રેઇન જ્યારથી શરુ થઇ છે. ત્યારથી ભાણવડને સ્ટોપ મળ્યો નથી.

ઉપરાંત પોરબંદર-સિકંદરાબાદ વિકલી ટ્રેઇનને પણ ભાણવડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ નથી. આ ટ્રેઇનનો કોરોના પહેલા ભાણવડને સ્ટોપ અપાયો હતો. પરંતુ કોરોના બાદ ટ્રેઇન તો શરુ થઇ છે. પરંતુ ભાણવડ સ્ટોપની રેલવે ડિવિઝનને બાદબાકી કરી અન્યાય કર્યો છે.

- Advertisement -

ઉપરોક્ત લાંબા અંતરની ટ્રેઇનને ભાણવડ સ્ટોપ મળે એ બાબતે અનેક રજૂઆત કરઇ છે. પરંતુ રેલતંત્ર દાદ આપતુ નથી. અત્રે નોંધનિય બાબત એ છે કે, ભાણવડ રેલવે સ્ટેશન ખાતે લાંબા અંતરની ટ્રેઇન સ્ટોપ સુવિધા અપાઇ તો તેનો ભાણવડ સહિત જામજોધપુરની મુસાફર જનતા પણ લાભ લઇ શકે છે. ત્યારે રેલતંત્ર આ દિશામાં હકારાત્મક વલણ અપનાવે એવી અંતમાં માગણી નિરવ રાજાણીએ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular