Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં રહેતા વૃદ્ધનો કમળાએ ભોગ લીધો

જામનગર શહેરમાં રહેતા વૃદ્ધનો કમળાએ ભોગ લીધો

તબિયત લથડતા સારવાર કારગત ન નિવડી : આરબલુસના વૃદ્ધનું હૃદયરોગના હુમલામાં મૃત્યુ: પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી આશાપુરા સોસાયટીમાં રહેતાં વૃદ્ધને કમળો થવાથી તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના આરબલુસ ગામના વાડી વિસ્તારમાં રહેતાં વૃદ્ધનું હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી આશાપુરા સોસાયટીમાં રહેતાં રામજીભાઈ જીવારામભાઈ મંગે (ઉ.વ.62) નામના નિવૃત્ત વૃદ્ધને કમળો થયો હતો અને કમળા દરમિયાન તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની નિલેશભાઈ દ્વારા જાણ કરવામાં આવતા હેકો કે.જે. જાડેજા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના આરબલુસ ગામના વાડી વિસ્તારમાં રહેતાં કરમણભાઈ પાલાભાઈ બાંભવા (ઉ.વ.60) નામના વૃદ્ધને બુધવારે બપોરના સમયે તેના ખેતરે એકાએક હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઇ ગયા હતાં. ત્યારબાદ વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ વૃદ્ધનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પુત્ર કાનાભાઈ દ્વારા જાણ કરવામાં આવતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular