Friday, March 29, 2024
Homeરાજ્યહાલારલાલપુરના ખટીયામાં પતિ અને સાસુના ત્રાસથી મહિલાની આત્મહત્યા

લાલપુરના ખટીયામાં પતિ અને સાસુના ત્રાસથી મહિલાની આત્મહત્યા

મૃતકના પિતા દ્વારા પતિ અને સાસુ વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ : લગ્ન જીવન દરમિયાન અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ

- Advertisement -

લાલપુર તાલુકાના ખટીયા ગામમાં રહેતી મહિલાએ તેણીના પતિ-સાસુ દ્વારા અપાતા શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યાના બનાવમાં મૃતકના પિતા દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, લાલપુર તાલુકાના ખટીયા ગામમાં રહેતાં માણસુર જીવા ટાલિયા નામના શખ્સની પત્ની સોનલબેનએ ગત શુક્રવારે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ બાદ મૃતક સોનલબેનના પિતા દ્વારા લાલપુર પોલીસ સ્ટેશનમાં તેના જમાઇ માણસુર જીવા ટાલિયા અને મૃતકના સાસુ વાલીબેન જીવા ટાલિયા નામના બન્નેએ સોનલબેનના લગ્નજીવન દરમિયાન ઘરકામ બાબતે અવાર-નવાર મેણાટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કરતા મહિલાએ આપઘાત કર્યો હતો. આ બનાવ બાદ મૃતક મહિલાના પિતા દ્વારા સાસરિયાઓ વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular