લાલપુર તાલુકાના ભણગોર ગામના પાટીયા નજીક પૂરઝડપે આવતી મોટરકારે બાઈક સવાર દંપતીને હડફેટે લેતા બાઈકમાં પાછળ બેસેલા મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, તા.2 ના રોજ ભીખાભાઇ તથા કુંવરબેન નામનું દંપતી જીજે-05-બીબી-8458 નંબરની મોટરસાઈકલ લઈ ભણગોર ગામના પાટીયાથી લાલપુર તરફ જઈ રહ્યા હતાં. આ દરમિયાન જીજે-05-જેએ-9222 નંબરની વર્ના કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને બેફીકરાઇથી ચલાવી દંપતીને હડફેટે લેતા દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન કુંવરબેન (ઉ.વ.45) નામના મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રવિભાઈ ભીખાભાઈ ગાગીયાની ફરિયાદના આધારે પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફ દ્વારા વર્નાકારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.