Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કોણ ઉજવશે નદી ઉત્સવ : રંગમતીનો આર્તનાદ, મને બચાવો...

જામનગરમાં કોણ ઉજવશે નદી ઉત્સવ : રંગમતીનો આર્તનાદ, મને બચાવો…

- Advertisement -

આપણા શાસ્ત્રો અને પુરાણોમાં નદીઓને લોકમાતા કહેવામાં આવી છે. વિશ્ર્વની તમામ પ્રાચિન સંસ્કૃતિપઓનો વિકાસ નદી કાંઠે જ થયો છે. નદીઓ આપણી જીવાદોરી છે. ત્યારે નદીઓની મહતા સમજી રાજય સરકારે રાજયમાં નદી ઉત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે જે આવકાર્ય છે. રાજય સરકારનો સ્વચ્છ નદીનો આ અભિગમ કેટલીક નદીઓ પૂરતો મર્યાદિત ન રહે અને તેને છે ગામડાંઓ સુધી પહોંચાડવામાં આવે તે જરૂરી છે.

- Advertisement -

જામનગરની ભાગોળેથી પસાર થતી રંગમતિ અને નાગમતિ નદી પણ શહેરના સતાધિશોને નદી ઉત્સવ માટે પોકારી રહી છે.પ્રદુષણ અને અતિક્રમણનો ભોગ બનેલી આપણી લોકમાતાની વેદના કોણ સાંભળશે ? વર્ષોથી નદીની સફાઇ અને રિવરફ્રન્ટની વાત કરવામાં આવે છે હવે સમય આવી ગયો છે આપણી નદીને પણ સાફસુથરી કરવાનો અવસર પણ છે તો ચાલો આપણે પણ નદી ઉત્સવ ઉજવીએ…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular