Thursday, May 22, 2025
Homeસમાચારરાષ્ટ્રીયપાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવનાર S-400 સુદર્શન શું છે...? જાણો

પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવનાર S-400 સુદર્શન શું છે…? જાણો

7-8 મેના મોડીરાત્રે પાકિસ્તાનએ ભારતના 15 શહેરો પર મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે S-400 એ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. ત્યારે ચાલો જાણીએ S-400 ને સુદર્શન નામ કેમ અપાયું…?

- Advertisement -

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે યુઘ્ધનું સ્વરૂપ લઇ રહ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપવા ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં આતંકવાદી છાવણીઓ પર સચોટ મિસાઇલ હુમલા કર્યા હતા. આ પછી 7-8 મેના રોજ મોડીરાત્રે પાકિસ્તાનએ અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, જલંધર, કપૂરથલા, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ તથા ભૂજ સહિત ભારતના 15 શહેરો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલિ જ-400 એ પાકિસ્તાનના તમામ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે. ભારતની આ વાયુ સંરક્ષણ પ્રણાલિ S-400 સુદર્શન ચક્ર તરીકે ઓળખાય છે. આ નામ પર હિન્દુ પૌરાણિક શસ્ત્ર સુદર્શન ચક્રથી પ્રેરિત છે.

ભારતની આ વાયુ સંરક્ષણ પ્રણાલિ S-400 સુદર્શન ચક્ર તરીકે ઓળખાય છે. આ નામ હિન્દુ પૌરાણિક શસ્ત્ર સુદર્શન ચક્રથી પ્રેરિત છે. આ સિસ્ટમની ગણતરી વિશ્ર્વની સૌથી અદ્યતન અને લાંબા અંતરની હવાઇ સંરક્ષણ પ્રણાલિઓમાં થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર સુદર્શન ચક્રને ભગવાન શ્રી કૃષ્ણનું શસ્ત્ર માનવામાં આવે છે. ચાલો આ એપિસોડમાં જાણીએ કે, ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર કેટલું શક્તિશાળી હતું.

- Advertisement -

પુરાણો અનુસાર સુદર્શન ચક્રને બધા દૈવી શસ્ત્રોમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. સુદર્શન ચક્રને તમિલ ભાષામાં ચક્રતલવર કહેવામાં આવે છે અને થાઇલેન્ડમાં તેને ચક્રીવંશ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર સુદર્શન ચક્ર ત્રિદેવના ગુરૂ બૃહસ્પતિ દ્વારા ભગવાન વિષ્ણુને આપવામાં આવ્યું હતું. ભગવાન વિષ્ણુ તેમની તર્જની આંગળી પર સુદર્શન ચક્ર પહેરતાં હતાં. આ દૈવી શસ્ત્ર દુશ્મનોનો નાશ કર્યા પછી પરત આવી જતું હતું. તે હથિયારમાં બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતા હતી. તે લક્ષ્યને ઓળખે છે તેનો નાશ કરે છે. તેની ગતિ એટલી ઝડપી હતી કે તેને રોકવું લગભગ અશક્ય હતું. આમ, સુદર્શન ચક્ર જેટલું શક્તિશાળી શસ્ત્ર બન્યું છે S-400 જેને પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular