ઠેબા ચોકડીથી જામનગર તરફ આવતા મુખ્ય માર્ગ પર મહાપ્રભુજીની બેઠક નજીક અકસ્માતનો ભય ઊભો થયો છે. રોડની વચ્ચે આવેલી ભૂગર્ભ ગટરના મેનહોલનું ઢાંકણું તૂટી જતાં મોટો ખાડો સર્જાયો છે, જે વાહનચાલકો માટે જોખમરૂપ બન્યો છે.

સ્થાનિક જાગૃત નાગરિકોએ વાહનચાલકોને સંકેત મળે તે માટે ખાડામાં વૃક્ષની ડાળીઓ મૂકી છે, પરંતુ હાઇવે પરથી પૂરઝડપે આવતા વાહનો માટે આ વ્યવસ્થા પૂરતી સાબિત થઈ શકે તેમ નથી. ખાસ કરીને રાત્રિના સમયે અથવા ધ્યાન ચૂકતા કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
View this post on Instagram
શહેરના પ્રવેશદ્વાર સમાન આ વ્યસ્ત માર્ગ પર તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા માંગ ઉઠી છે.


