Thursday, March 28, 2024
Homeરાજ્યહાલારજામજોધપુર પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે યુવાનોના મોત

જામજોધપુર પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે યુવાનોના મોત

ગીંગર્ણેશ્વર મહાદેવ મંદિર નજીક ટેમ્પો ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ : મહિલાને ઈજા : ચાલક વાહન લઇ નાશી ગયો : સમાણા ચેક પોસ્ટ નજીક અજાણ્યા વાહને બાઈકને હડફેટે લેતા ચાલકનું મૃત્યુ : વાહનચાલકની પોલીસ દ્વારા શોધખોળ

- Advertisement -

જામજોધપુરના ગીંગર્ણેશ્વર મહાદેવ મંદિર નજીકથી બાઈક પર જતાં યુવાનને નંબર વગરના બેફીકરાઈથી આવતા ટાટા ટેમ્પોના ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ નાશી ગયેલા ચાલકની પોલીસે શોધખોળ આરંભી હતી. જામજોધપુર તાલુકાના સમાણા ચેક પોસ્ટ નજીકથી રાત્રિના સમયે પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહનચાલકે બાઈકસવારે ઠોકરે ચડાવી હડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામજોધપુર નજીક આવેલા ગીંગર્ણેશ્વર મહાદેવ મંદિર પાસેના રોડ પરથી રવિવારે સાંજના સમયે જીજે-01-એલએફ-3160 નંબરના બાઈક પર પસાર થતા હીરાભાઈને નંબર વગરના પૂરઝડપે બેફીકરાઇથી આવતા ટાટા ટેમ્પોના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં બાઈકચાલક હીરાભાઈ પોલાભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા જાશીબેનને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ વાહનચાલક નાશી ગયો હતો. ઘટનાની જાણ થતા પીઆઈ એમ.એન. ચૌહાણ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ડાયાભાઈ વાંદાના નિવેદનના આધારે ટેમ્પો ચાલક વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર-સમાણા રોડ પર સમાણા ચેક પોસ્ટથી દોઢ કિલોમીટર દૂર સમાણા ગામના દેવશીભાઈ વાલજીભાઈ પરમાર (ઉ.વ.45) નામના યુવાન તેના જીજે-10-સીએચ-7369 નંબરના બાઈક પર શનિવારે રાત્રિના સમયે પસાર થતા હતાં ત્યારે પૂરઝડપે આવી રહેલ અજાણ્યા વાહનચાલકે બાઈકને હડફેટે લેતા ચાલક દેેવશીભાઈ રોડ પર પટકાયા હતાં અને અકસ્માતમાં શરીરે તેમજ માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક તેનું વાહન લઇ પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે ઈન્ચાર્જ પીઆઈ એમ.જે.વસાવા તથા સ્ટાફે હિતેશ પરમારના નિવેદનના આધારે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular