જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી જામનગર એલસીબી પોલીસે બે શખ્સોને 227 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.43500 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરીમાં ડો. બાબાસાહેબ આંબેડકરના પુતળાની બાજુમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના સુમિતભાઈ શિયાર, ઘનશ્યામભાઈ ડેરવાડિયા, અરજણભાઈ કોડિયાતરને મળેલી બાતમીના આધારે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ પી.એન. મોરી, એ.કે. પટેલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન રાજેશ ઉર્ફે માહિર દેવજી સાગઠીયા તથા અજય ઉર્ફે અજલો રાજેશ બરછા નામના બે શખ્સોને રૂા.38000 ની કિંમતની 287 નંગ ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો, બે નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.43,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દારૂનો જથ્થો આરોપીઓએ ગોવાના અલગ અલગ વાઈનશોપમાંથી લઇ આવ્યા હોવાનું જણાવ્યું હતું.