Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરએડવોકેટની સરાજાહેર હત્યાના બે આરોપીઓની ધરપકડ બાદ ડીવાયએસપી એ શું જણાવ્યું ?...

એડવોકેટની સરાજાહેર હત્યાના બે આરોપીઓની ધરપકડ બાદ ડીવાયએસપી એ શું જણાવ્યું ? – VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં બેડીમાં સપ્તાહ પહેલા રોજુ છોડવા જઈ રહેલા એડવોકેટને 15 જેટલા શખ્સોએ સશસ્ત્ર હુમલો કરી નિર્મમ હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસ અધિક્ષકના નેજા હેઠળ સીટની રચના બાદ પોલીસે તપાસ દરમિયાન હત્યાના એક આરોપીની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ દરમિયાન વધુ એક આરોપીની ધરપકડ કરી અને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરી તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં એડવોકેટ હારુનભાઈ પલેજા ગત તા.13 ના સાંજના સમયે વાછાણી ઓઇલ મીલ નજીકથી પસાર થઈ રહ્યા હતાં તે દરમિયાન બસીર જુસબ સાયચા, ઈમરાન નુરમામદ સાયચા, રમઝાન સલીમ સાયચા, સીકંદર નુરમામદ સાયચા, રીઝવાન ઉર્ફે ભુરો અસગર સાયચા, જાબીર મહેબુબ સાયચા, દિલાવર હુશેન કકલ, સુલેમાન હુશેન કકલ, ગુલામ જુસબ સાયચા, એઝાજ ઉમર સાયચા, અસગર જુસબ સાયચા, મહેબુબ જુસબ સાયચા, રજાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાણ ચમડિયા અને શબીર ઓસમાણ ચમડિયા સહિતના 15 શખ્સોઓ સશસ્ત્ર જીવલેણ હુમલો કરતા એડવોકેટ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતાં. હુમલાખોરો પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ એડવોકેટને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ એડવોકેટને સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કરતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

- Advertisement -

એડવોકેટની સરાજાહેર કરાયેલી નિર્મમ હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડયા હતાં. આ હત્યારાઓને ઝડપી લેવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) ની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા (સુપરવીઝન), સીટી એ પીઆઈ નિકુંજ ચાવડા (તપાસનિશ અધિકારી), એલસીબી પીએસઆઈ આર.કે.કરમટા અને છ થી સાત પોલીસ કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ દરમિયાન પોલીસે બસીર જુસબ સાયચાને દબોચી લઇ સાત દિવસના પોલીસ રિમાન્ડ મેળવી પૂછપરછ દરમિયાન સિકંદર નુરમામદ સાયચાને દબોચી લઇ 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular