Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતરિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પરીવારને મારી નાખવાની ધમકી

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પરીવારને મારી નાખવાની ધમકી

રિલાયન્સ ફાઉન્ડેશનના ફોન નંબર પર 8 ફોન આવ્યા : પોલીસે સુરક્ષા વધારી

- Advertisement -

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પરીવારને ફરી એક વખત મારી નાંખવાની ધમકી મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા 8 ફોન આવ્યા છે. ફોન કરનારે તેમના સમગ્ર પરીવારને ત્રણ કલાકમાં ખતમ કરવાની ધમકી આપી છે. આ ઘટના પછી હોસ્પિટલ મેનેજમેન્ટે આ અંગેની ફરીયાદ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી છે.

- Advertisement -

ફરીયાદ પછી અંબાણી પરીવારની સુરક્ષા વધારાઈ છે. આ તરફ પોલીસ આ કોલ્સને વેરિફાઈ કરી રહી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ફોન કરનાર એક જ છે, જેણે 8 ફોન કર્યા છે. મુંબઈ પોલીસ કમિશ્નરને આ અંગે જાણકારી અપાઈ છે. કેસની તપાસ માટે મુંબઈ પોલીસે ત્રણ ટીમ બનાવી છે.

મુકેશ અંબાણીને વર્ષ 2013માં હિજબુલ મુઝાહિદ્દીનથી ધમકી મળ્યા પછી તે સમયની મનમોહન સિંહની સરકારે મુકેશ અંબાણીને ઝેડ+ સિક્યુરિટી આપી છે. તેમની પત્ની નીચા અંબાણીને 2016માં કેન્દ્ર સરકારે વાય+ સિક્યુરિટી આપી છે. તેમના બાળકોને પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી ગ્રેડેડ સુરક્ષા આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular