Friday, March 29, 2024
Homeરાજ્યજામનગર11 ડિસેમ્બરે યોજાશે જામનગરની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત

11 ડિસેમ્બરે યોજાશે જામનગરની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત

- Advertisement -

ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર ધ્વારા જણાવવાનુ કે, તા. 11 ડિસેમ્બરના રોજ, જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારીસમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ કલમ 138 ના મુજબના ચેકના કેસ, બેંક રીક્વરી દાવા, એમ઼એ.સી.પી. ના કેસ, લેબર તકરારના કેસ લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલ ( સમાધાન પાત્ર ન હોય તે સિવાયના), કોંટુબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્યુ કેસ( ડીસ્ટ્રીકટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ, અન્ય સીવીલ કેસ ( ભાડુઆત, સુખાધિકાર હક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ) વિગેરેના કેસો માટેની નેશનલ લોક અદાલતનુ તા. 11-1ર-ર0ર1ના રોજ નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરેલ છે.

- Advertisement -

આથી જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષ્ાકારોને જણાવવાનુ કે, તેઓના ઉપરોક્ત જણાવેલ પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનુ નિકારણ કરવા, તેઓના વિ. વકીલ મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટને કેસ લોક અદાલતમાં મુક્વા સંપર્ક કરવો. લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષ્ાકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષ્ાકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગરનો ફોન નં. રપપ0106 ઉપર કરવો તેમજ દરેક જિલ્લા/તાલુકા કક્ષ્ાાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે જિલ્લા/તાલુકા કોર્ટનો સંપર્ક કરવા યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular