Thursday, April 18, 2024
Homeરાજ્યગુજરાતનર્મદા ડેમના વિરોધીઓની મોદીએ કાઢી ઝાટકણી

નર્મદા ડેમના વિરોધીઓની મોદીએ કાઢી ઝાટકણી

કેવડિયામાં પર્યાવરણ મંત્રીઓના સંમેલનને પ્રધાનમંત્રીનું સંબોધન

- Advertisement -

નર્મદામાં કેવડિયા કોલોની ખાતે એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓના સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પર્યાવરણ મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન બે દિવસ ચાલશે. ત્યારે પીએમ મોદીએ વર્ચ્યુઅલ કોન્ફરન્સને સંબોધી. આ સમયે તેમણે પર્યાવરણને બચાવવા માટે કં ઇ-કઇ રીતે કામ કરી શકાય અને રાજ્યો તેમજ કેન્દ્ર સરકાર કંઇ રીતે સાથે મળીને કાર્ય કરી શકે તેની વાતો સંબોધનમાં કરી. તો પીએમ મોદીએ અહીં નર્મદા ડેમ વિરોધી અર્બન નકસલીઓ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે ખાસ કહ્યું હતું કે પ્રકૃતિ, પર્યાવરણ અને વિકાસનો સમન્વય એકતાનગર છે.

- Advertisement -

એન્વાર્યમેન્ટ ક્લિયરન્સના નામ પર આધુનિંક નિંમાંણને કંઇ રીતે ઉકેલવામાં આવે. એકતા નગર આપણી આંખ ખોલનાર ઉદાહરણ છે. કેવી રીતે અર્બન નકસલીઓએ, વિકાસ વિરોધીઓએ સરદાર પટેલ ડેમના કામને રોકી રાખ્યું હતું. તમે અહોં આટલું મોટું જળાશય જોયું હશે. તેનો શિલાન્યાસ દેશ આઝાદ થયો ત્યારે થયો હતો પરંતુ બધા અર્બન નકસલ સામે આવ્યા અને વારંવાર રોકવામાં આવ્યું. નહેરૂએ શિલાન્યાસ કયા હતો તેનું કામ મારા સમયે પૂરું થયું. આ અબંન નકસલ આજે પણ ખેલ ખેલી રલા છે. તેમનું જુઠ્ઠાણું ચાલ્યું નહીં; ભારતમાં વિકાસ રોકવા માટે કેટલાંય ગ્લોબલ ઇન્સ્ટિટ્યુટ તોકાન ઉભું કરે છે અને આપણા અબંન નકસલ માથે લઇને નાચે છે તેમ કહી પીએમ મોદી અબંન નકસલીઓને ઘેયાં હતા. તેમણે કલું હતું કે આપણે આવા લોકોના ષડયંત્રથી બચવું જોઇએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોરેસ્ટ કાયરને લઇ જાગૃતતા પર ખાસ વાત કરી. તેમણે કલું કે જંગલમાં પાનખરના સમયે જમીન પર બધા પાન પડી જાય છે. આજ કાલ તેનો પણ ઘણી રીતે ઉપયોગ થાય છે. આપણું જંગલ પણ બચી શકે અને આપણી ઉર્જા પણ બચશે. કહેવાનો મતલબ એ છે કે કોરેસ્ટ કાયરને લઇ આપણી જાગૃતતા હોવી જોઇએ. તો આપણે જંગલની આગને બચાવી શકીએ છીએ. આપણે કોરેસ્ટ ગાડને પણ નવી રીતથી ટ્રેનિંગ આપવાની જરૂર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular