Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજિલ્લા જેલમાંથી પેરોલ જમ્પ કરી ખૂનના કેસમાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

જિલ્લા જેલમાંથી પેરોલ જમ્પ કરી ખૂનના કેસમાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

- Advertisement -

જામનગર સિટી બી ના ખુન કેસનો આરોપી અને જામનગર જિલ્લા જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસતો-ફરતો હોય જામનગર એલસીબી વિકાસ ગૃહ રોડ પરથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મજુબ, જામનગરના સિટી બી ડિવિઝનમાં નોંધાયેલ ખુનના કેસનો આરોપી જિલ્લા જેલમાં હોય અને તા.18/8/2022 ના રોજ રજા પૂરી થઈ હોવા છતાં પેરોલ જમ્પ કરી નાસતો-ફરતો હોય અને વિકાસ ગૃહ રોડ પર હોવાની એલસીબીના હેકો વનરાજભાઈ મકવાણા, ધાનાભાઇ મોરી તથા પો.કો. કિશોરભાઈ પરમારને મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસે બાતમીવાળી જગ્યાએથી આરોપી મુકેશ ઉર્ફે મુકો નરશી રાઠોડ નામના શખ્સને ઝડપી લઇ જામનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપ્યો હતો.

આ કાર્યવાહી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ કે.જે. ભોયેના માર્ગદર્શન મુજબ, એલસીબીના પીએસઆઇ આર.બી. ગોજિયા તથા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા, એએસઆઈ માંડણભાઈ વસરા, એલસીબીના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી, રાકેશભાઈ ચૌહાણ, અશોકભાઈ સોલંકી, નાનજીભાઈ પટેલ, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular