Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવાનની અગમ્યકારણોસર આત્મહત્યા

જામનગર શહેરમાં યુવાનની અગમ્યકારણોસર આત્મહત્યા

ડ્રાઈવિંગ કરતા યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર શહેરના મારૂતિનગર વિસ્તારમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા યુવાને બુધવારે સાંજના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા મારૂતિનગર વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોર્સની બાજુમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા ભરતસિંહ જગમલસિંહ જાડેજા (ઉ.વ.30) નામના યુવાને બુધવારે સાંજના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના માતા ઉલ્લાસીબા જાડેજા દ્વારા જાણ કરાતા હેકો એ.એન.નિમાવત તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular