Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવતીની અગમ્ય કારણોસર આત્મહત્યા

જામનગર શહેરમાં યુવતીની અગમ્ય કારણોસર આત્મહત્યા

સોમવારે તેણીના રૂમમાં ઓછાડ વડે ગળેફાંસો ખાધો: પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર શહેરના રામેશ્વર નગર નંદનપાર્ક વિસ્તારમાં રહેતી યુવતીએ સોમવારે વહેલી સવારના સમયે તેના રૂમમાં પંખામાં ઓછાડ વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા જીણવટ ભરી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્વર નગર નંદનપાર્ક શેરી નં.1માં ચામુંડા પ્રોવિઝન સ્ટોર પાસે રહેતા પ્રવીણભાઇ ગોંડલિયા નામના પ્રૌઢની પુત્રી ધારાબેન પ્રવીણભાઇ ગોંડલિયા (ઉ.વ.24) નામની યુવતીએ સોમવારે વહેલી સવારના સમયે તેણીના રૂમમાં અગમ્ય કારણોસર છતમાં રહેલા પંખામાં ઓછાડ વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજપરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ અંગે મૃતકની માતા ગીતાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઇ કે.એન.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા માટે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular