Friday, April 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કેન્સરની બીમારીથી કંટાળી યુવાનની આત્મહત્યા

જામનગરમાં કેન્સરની બીમારીથી કંટાળી યુવાનની આત્મહત્યા

ઓપરેશન કરાવ્યા બાદ દવાથી ફેર ન પડયો : જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાધો : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં પત્રકાર સોસાયટી પાસે આવેલા જલારામ નગરમાં રહેતાં અને મજુરીકામ કરતા યુવાને કેન્સરની બીમારીથી કંટાળીને તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની મળતી વિગત મુજબ, જામનગર શહેરના ડીસીસી હાઈસ્કૂલ પાછળ પત્રકાર સોસાયટી નજીક આવેલા જલારામ નગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.વ.36) નામના શ્રમિક યુવાનને છેલ્લા છ માસથી કેન્સરની બીમારી દરમિયાન ઓપરેશન કરાવ્યું હતું અને દવા પણ ચાલુ હતી તેમ છતા આ બીમારીમાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળીને ગુરૂવારે બપોરના સમયે તેના મકાનમાં ઉપરના માળે આવેલા રૂમના પંખામાં હુંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતા પરિવારજનોએ યુવાનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ સ્થળ પર પહોંચેલી 108 ની ટીમે યુવાનનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ અંગેની જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતકના ભાઈ અનિરૂધ્ધસિંહ જાડેજાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular