Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયચીન માટે ભારતે લાલ જાજમ બિછાવી હોવાના રિપોર્ટ ખોટાં છે

ચીન માટે ભારતે લાલ જાજમ બિછાવી હોવાના રિપોર્ટ ખોટાં છે

સરહદની સ્થિતિ પર સરકારની બારીક નજર, કોઇ જ ઉતાવળિયો નિર્ણય નહીં: વિદેશ મંત્રાલય

- Advertisement -

ભારત-ચીન સરહદ પર તનાવ વચ્ચે, એવા સમાચાર આવ્યા હતા કે ભારત ચીની કંપનીઓ માટે રોકાણને મંજૂરી આપી રહ્યું છે. પરંતુ વિદેશ મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે ભારતમાં ચીન સાથેના કોઈપણ રોકાણને મંજૂરી આપવા અંગે કોઈ વિચારણા કરી રહ્યું નથી.

- Advertisement -

અધિકારીઓએ અહેવાલને તથ્યને ખોટો ગણાવ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે સરકારે કોઈપણ પ્રકારના ચાઇનીઝ રોકાણને મંજૂરી આપી નથી. સોમવારે એક વિદેશી ચેનલના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ભારત ચીન સંબંધિત લગભગ 45 જેટલા રોકાણ દરખાસ્તોની મંજૂરી પર વિચાર કરી રહ્યું છે.

એક અધિકારીએ કહ્યું કે ભારત સરકારે ત્રણ વિદેશી રોકાણોની દરખાસ્તોને મંજૂરી આપી છે જે હોંગકોંગથી સંબંધિત છે. તેમાંથી બે જાપાનની કંપનીઓનું રોકાણ છે અને ત્રીજું એનઆરઆઈ ગ્રુપ સાથે જોડાયેલ રોકાણ છે.
આ સાથે જ અધિકારીએ કહ્યું કે ભારત માને છે કે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે સરહદ પર શાંતિ મહત્વપૂર્ણ છે. હાલમાં, બંને સૈન્યએ તેમના સ્તરે સરહદ પર શાંતિ પુન:સ્થાપિત કરવા પ્રારંભિક પગલા લીધા છે.
આ વખતે ચીનનાં પગલાં અંગે સરકાર કોઈ ઉતાવળ કરશે નહીં, ચીનનાં આગળનાં પગલાં લાઈન પર શું હશે તેના પર સરકાર કડક નજર રાખી રહી છે. તે જ સમયે, ભારતે ચીન પર જે પ્રતિબંધો લગાવ્યા છે તે દૂર કરવાની ઉતાવળ થશે નહીં.

- Advertisement -

સરકારે મંજૂર કરેલા ત્રણ વિદેશી રોકાણો હોંગકોંગ સ્થિત કંપનીઓની છે. એફડીઆઇ અંતર્ગત જે દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે તે ગોહ પરિવારની છે જે સિંગાપોર, નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત હોંગકોંગના નાગરિકો છે. સિટિઝન વોચિસ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડને પણ જાપાની કંપની તરીકે મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular