Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બે શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરતી એલસીબી

જામનગરના બે શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરતી એલસીબી

પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા જિતેન્દ્રને વડોદરા અને વિમલને અમદાવાદની જેલમાં ધકેલાયા

- Advertisement -

જામનગર શહેરમાં રહેતાં અને પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો વિરુધ્ધ એલસીબીની ટીમ દ્વારા કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટરએ મંજૂર કરતાં પોલીસે એક શખ્સને વડોદરા અને બીજાને અમદાવાદની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી પાણીના ટાંકા નીચે રહેતાં જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશ ચાવડા અને ભોઇના ઢાળિયા પાસે રહેતા વિમલ ઉર્ફે ડોડારો તુલસી પમનાણી નામના બે શખ્સો વિરુધ્ધ પ્રોહિબીશનના ગુના સંદર્ભે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર તથા સ્ટાફ દ્વારા તૈયાર કરેલી પાસાની દરખાસ્ત કલેકટર બી.એ. શાહ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જેના આધારે એલસીબીની ટીમે પાસાના વોરંટની બજવણી કરી જીતેન્દ્ર ચાવડાને વડોદરાની જેલમાં તથા વિમલ પમનાણીને અમદાવાદની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular