Friday, March 29, 2024
Homeરાજ્યહાલારકાલાવડના ડાંગરવાડામાંથી તરૂણીનું અપહરણ

કાલાવડના ડાંગરવાડામાંથી તરૂણીનું અપહરણ

- Advertisement -

કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની 16 વર્ષની તરૂણી પુત્રીનું મધ્યપ્રદેશનો શખ્સ અપહરણ કરી ભગાડી ગયો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામની સીમમાં મનસુખભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા વિજયભાઈ નાયક નામના યુવાનની 16 વર્ષ 5 મહિનાની તરૂણી પુત્રીનું ગત તા.1 મે ના રાત્રિ દરમિયાન મધ્યપ્રદેશનો રાજુ કરણસીંગ નામનો શખ્સ અપહરણ કરી લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવીને ભગાડી ગયો હતો. આ અંગેની જાણ કરતા પીઆઇ એમ.બી. ગજ્જર તથા સ્ટાફે તરૂણીના પિતાના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular