કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામમાં રહેતા યુવાને પાકમાં છાંટવાની દવા પી લેતાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતા કાનાભાઈ મોહનભાઈ ગામી (.વ. 27) નામના યુવાને ગત તારીખ 21 મીના રોજ ગાંગડી ગામની સીમમાં કોઈ અગમ્ય કારણોસર ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા મોહનભાઈ પોલાભાઈ ગામીએ કલ્યાણપુર પોલીસને કરી છે.


