Thursday, March 28, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છહળવદના અપહરણના ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર એસઓજી

હળવદના અપહરણના ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર એસઓજી

- Advertisement -

મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના કેસના ફરાર આરોપી તથા ભોગ બનનારને જામનગર એસઓજી પોલીસે દરેડ, મસીતિયા રોડ પાસેથી ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં આરોપી વિશાલ યોગેશ પરમાર ભોગ બનનારને લઇને નાસી ગયો હતો અને ફરાર હોય દરમ્યાન એસઓજીના શોભરાજસિંહ જાડેજા, રાજેશભાઇ મકવાણા તથા ચંદ્રસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના ઇન્ચાર્જ પી.આઇ. બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જેડી. પરમાર સહિતના સ્ટાફ દ્વારા દરેડ મસીતિયા રોડ પાસેથી આરોપી વિશાલ યોગેશ પરમાર તથા તેની સાથે ભોગ બનનાર સગીરા મળી આવતા આરોપીને તથા ભોગ બનનાર સગીરાને હસ્તગત કરી વધુ કાર્યવાહી માટે પંચ બી પોલીસને સોંપી આપ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular