Thursday, March 28, 2024
Homeરાજ્યગુજરાતબોટાદ સંપ્રદાયના પ્રવચન પ્રભાવિકા પૂ. અરૂણાબાઇ મહાસતીજી કાળધર્મ પામ્યા

બોટાદ સંપ્રદાયના પ્રવચન પ્રભાવિકા પૂ. અરૂણાબાઇ મહાસતીજી કાળધર્મ પામ્યા

- Advertisement -

બોટાદ સંપ્રદાયના આચાર્ય પૂ. નવીનચંદ્રજી મ.સા.ની કૃપાથી પૂ. ચંપાબાઇ મ.સ.ની નિશ્રામાં બોટાદમાં પિતા લલ્લુભાઇ વસાણી અને રત્નકુક્ષિણી માતા ઝવેરીબેનના પુત્રી અરૂણાબેને તા. 27-1-1966ના પૂ. સમર્થ-મલજી મ.સા.ના શ્રીમુખે ભાગવતી દિક્ષા અંગીકાર કરી પ્રવચન પ્રભાવિકા પૂ. અરૂણાબાઇ મ.સ. તરીકે સુપ્રસિધ્ધ બન્યા હતાં.

- Advertisement -

તાજેતરમાં ડાયાલીસ સાતેક દિવસથી બંધ થયા બાદ દેવેન્દ્ર સોસાયટી, નારણપુરામાં બોટાદ સંપ્રદાયના ઉપાશ્રયે સમાધિ ભાવે બિરાજીત હતાં. પૂ. ધીરગુરૂદેવ બે વાર દર્શન આપવા પધારતાં પ્રસન્ન હતાં. બોટાદમાં તા. 4-5-1943ના જન્મેલા અને 80 વર્ષની વયે પૂ. અરૂણાબાઇ મ.સ.એ તા. 7-2-23ના સાંજે પ્રવર્તિની પૂ. સવિબાઇ મ.સ.ના શ્રીમુખે સંથારો અંગીકાર કરતાં રાત્રીના 3:35 કલાકે મહાવદ-3, મંગળવારના સમાધિભાવે કાળધર્મ પામ્યા હતાં. આજે તા. 8ના બપોરે 2 કલાકે પાલખી યાત્રા નિકળી હતી. ગોંડલગચ્છાશિરોમણી પૂ. જશરાજજી મ.સા., પૂ. ધીરજમુનિ મ.સા.એ ગુણાંજલિ અર્પણ કરેલ હતી. પૂ. જયેશચંદ્રજી મ.સા. અમદાવાદ તરફ વિહારમાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular