Friday, September 22, 2023
Homeરાજ્યજામનગરનેગોશિયેબલના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

નેગોશિયેબલના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

- Advertisement -

નેગોશિયેબલના કેસમાં સજા થયેલ નાસતા ફરતા આરોપીને જામનગર એસઓજીએ 80 ફુટ રોડ જામનગર ખાતેથી ઝડપી લઇ સીટી સી પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, નેગોશિયેબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 ના કેસમાં એક વર્ષની સાદી સજા પામેલ આરોપી જીતેન્દ્રસિંહ જગતસિંહ રાઠોડ નાસતો ફરતો હોય. આ દરમિયાન હાલમાં 80 ફુટ રોડ માલધારી હોટલ પાસે હોવાની એસઓજીના હેકો સંદિપભાઇ ચુડાસમા, રમેશભાઇ ચાવડા તથા દિનેશભાઈ સાગઠીયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી.પરમારના માર્ગદર્શન એસઓજી સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન બાતમી વાળા સ્થળેથી જીતેન્દ્રસિંહ જગતસિંહ રાઠોડને ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular