Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરમંગળસૂત્ર લેવાની ના પાડતા યુવતીનો દવા પી આપઘાત

મંગળસૂત્ર લેવાની ના પાડતા યુવતીનો દવા પી આપઘાત

અલીયા ગામમાં રહેતી પરિણીતાએ ઘરે ઝેરી દવા ગટગટાવી

- Advertisement -

જામનગર તાલુકાના અલીયા ગામમાં રહેતી યુવતીને સોનાનું મંગળસુત્ર કરાવવું હોય તેમના સસરાએ એકાદ-બે મહિનામાં કરાવી દેશું કહેતા પરિણીતાને મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના અલીયાગામમાં રહેતી નિધીબેન આશિષભાઈ કાસુન્દ્રા (ઉ.વ.21) નામની યુવતીનેને સોનાનું મંગળસુત્ર કરાવવું હતું. આ માટે તેણીએ તેના પતિ તથા સસરાને વાત કરતા તેમના સસરાએ ખેતીની મોસમ પૂરી થયે અને પૈસા આવ્યે એકાદ-બે મહિનામાં મંગળસુત્ર કરાવી દેશું તેમ કહેતા નિધીબેનને મંગળસુત્ર બે-પાંચ દિવસમાં કરાવવું હોય મનમાં લાગી આવતા શનિવારે તેના ઘરે જંતુનાશક દવા પી આપઘાતનો કર્યો હતો. આ અંગેની મૃતકના પતિ આશિષભાઈ દ્વારા જાણ કરાતા પી.એસ.આઈ એમ.આર.સવસેટા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular