Saturday, April 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંં સ્થાપિત ગોડસેની પ્રતિમામાં તોડફોડ

જામનગરમાંં સ્થાપિત ગોડસેની પ્રતિમામાં તોડફોડ

- Advertisement -

જામનગરમાં હિન્દુસેના દ્વારા નથુરામ ગોડસેની પૂણ્યતિથી નિમિત્તે પ્રતિમા સ્થાપિત કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ પ્રતિમાની સ્થાપના પછી જામનગર કોંગે્રસ દ્વારા પત્થરો મારી પ્રતિમા તોડી પાડવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં હિન્દુસેના દ્વારા નથુરામ ગોડસેની પ્રતિમા માટે વહીવટી તંત્રો પાસે જગ્યાની માંગણી કરી હતી. પરંતુ તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી કરવામાં ન આવતા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ વતી પ્રતિક ભટ્ટ સહિતના આગેવાનો દ્વારા હિન્દુસેનાની જગ્યામાં નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાનો વિરોધ કરી જામનગર કોંગે્રસ દ્વારા પત્થરો મારી નથુરામ ગોડસેની પ્રતિમા તોડી પાડવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular