Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારખીમરાણાના ખીમેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ઉપર હુમલો-ધમકી

ખીમરાણાના ખીમેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ઉપર હુમલો-ધમકી

પૂજા કરવાની બાબતે ગાળો બોલી ધમકી આપી : વેપારીએ પણ પૂજારી સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી : પોલીસ દ્વારા બંનેની સામસામી ફરિયાદ નોંધી તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં આવેલા ખીમેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરવા ગયેલા વેપારી યુવાન ઉપર પુજારી અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પૂજારી દ્વારા સામી ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં આવેલા ખીમેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે બપોરના સમયે ગામમાં રહેતાં બ્રાસપાર્ટના વેપારી દિનેશભાઈ શાંતિભાઈ ધારવીયા નામના યુવાન મંદિરે પૂજા કરવા ગયા હતાં તે દરમિયાન પૂજારી કર્ણદેવસિંહ ઉર્ફે કરણસિંહ પ્રવિણસિંહ જાડેજા વેપારીને તમારે પૂજા કરવામાં વાર લાગે છે તેમ કહી અપશબ્દો બોલી મંદિરમાં લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. પૂજારી દ્વારા કરાયેલા હુમલાની દિનેશભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યારે સામાપક્ષી કર્ણદેવસિંહે દિનેશ શાંતિલાલ વિરૂધ્ધ મંગળવારે બપોરે મંદિરે પૂજા કરવા આવ્યા હતાં ત્યારે પૂજા કરવામાં કેટલો સમય લાગશે ?તેમ પૂછતા દિનેશે ઉશ્કેરાઈને અપશબ્દો બોલી ડોલ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

પૂજારી ઉપર ડોલ વડે માર મારી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં હેકો એચ.જી. જાડેજા તથા સ્ટાફે કર્ણદેવસિંહના નિવેદનના આધારે દિનેશ વિરૂધ્ધ સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular