Sunday, May 19, 2024
Homeરાજ્યજામનગરગુજરાત-રાજસ્થાન-મહારાષ્ટ્રમાં 70 જેટલા ગંભીર ગુનાનો આરોપી જામનગરમાંથી ઝડપાયો

ગુજરાત-રાજસ્થાન-મહારાષ્ટ્રમાં 70 જેટલા ગંભીર ગુનાનો આરોપી જામનગરમાંથી ઝડપાયો

એલસીબીની ટીમે ઢીચડા રોડ પરથી દબોચ્યો : જામનગરની છ અને રાજસ્થાનના 12 સહિત 70 થી વધુ ગુનાની કેફિયત : 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી મહારાષ્ટ્ર પોલીસને સોંપવા તજવીજ

- Advertisement -

જામનગર શહેરમાં છ અને રાજુલામાં બે તથા મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી, હત્યાનો પ્રયાસ, અપહરણ, પોલીસ ઉપર હુમલો, છેડતી, પોલીસ જાપ્તામાંથી ફરાર જેવા 70 થી વધુ ગંભીર ગુના આચરનાર અને 14 વર્ષથી નાસતા ફરતા શખ્સને એલસીબીની ટીમે ઢીચડા રોડ પરની સોસાયટીમાંથી દબોચી લઇ મહારાષ્ટ્ર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરનાં સિટી સી ડીવીઝનમાં ચોરીના છ જેટલા ગુનાઓ આચરનાર પંડિતસિંહ ઉર્ફે રાહુલ નામના રીઢા તસ્કરે રાજસ્થાનમાં 12 અને મહારાષ્ટ્રમાં ચાર ડઝન જેટલા ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી, હત્યાનો પ્રયાસ, અપહરણ, પોલીસ ઉપર હુમલો, છેડતી, પોલીસ જાપ્તામાંથી ફરાર જેવા 70 થી વધુ ગંભીર ગુના આચર્યા હતાં તેમજ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એકટના ગુનામાં તથા અન્ય ગુનામાં 14 વર્ષથી નાસતો ફરતો પંડિતસિંહ જામનગરમાં હોવાની એલસીબીના ઘનશ્યામ ડેરવાડિયા, સુરેશ માલકિયા, રાકેશ ચૌહાણ તથા વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઇ કે.જે.ભોયે ની સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા, સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન જામનગરમાં ઢીચડા રોડ પર આવેલા યોગેશ્ર્વરધામ-1 માંથી મહારાષ્ટ્રના પરલી જિલ્લાનો વતની પંડિતસિંહ ઉર્ફે રાહુલ ધરમસિંહ બાદલ જુગી ઉર્ફે બંજાર (ઉ.વ.50) નામના શખ્સને એલસીબીની ટીમે દબોચી લીધો હતો અને આ શખ્સને મહારાષ્ટ્ર રાજ્યના ભાગ્યનગર પોલીસ સ્ટેશનમાં સોંપવા માટે તજવીજ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન પંડિતસિંહએ જામનગર શહેરમાં સિટી સી ડીવીઝનના વિસ્તારમાં એક જ વર્ષમાં છ ગુના આચર્યા હોવાની કેફીયત આપી હતી તેમજ રાજસ્થાનમાં 12 અને મહારાષ્ટ્રમાં 47 થી વધુ ગુના આચર્યા હોવાનું ખુલ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular