Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં નવ માસની ગર્ભવતી મહિલાનું બેશુદ્ધ થઈ જતાં મોત

જામનગરમાં નવ માસની ગર્ભવતી મહિલાનું બેશુદ્ધ થઈ જતાં મોત

બેશુદ્ધ થઈ જતા હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : ચાવડા ગામમાં ખેતી કરતા સમયે પડી જતાં ખેડૂત વૃદ્ધનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરના ખંભાળિયા ગેઈટ પાસે આવેલા મકરાણી પાળામાં રહેતી અને ગર્ભવતી મહિલા એકાએક બેશુધ્ધ થઈ જતાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના ચાવડા ગામના વાડી વિસ્તારમાં રહેતાં પ્રૌઢ તેના ખેતરમાં કામ કરતા સમયે અચાનક પડી જતા બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પોરબંદરમાં રહેતાં સાહીસ્તાબેન એજાઝભાઈ શેખ (ઉ.વ.28) નામની ગર્ભવતી મહિલાને નવ માસ થયા હતાં અને તે દરમિયાન સોમવારે સાંજના સમયે જામનગર શહેરમાં ખંભાળિયા ગેઈટ પાસેના મકરાણી પાળા વિસ્તારમાં બેશુદ્ધ થઈ જતાં ગર્ભવતી મહિલાને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની હફીઝભાઇ દ્વારા જાણ કરાતા હેકો એમ.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મહિલાના મૃતદેહનનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના ચાવડા ગામમાં રહેતાં ઓધવજીભાઈ મોહનભાઈ મોલિયા (ઉ.વ.65) નામના વૃદ્ધ ગત તા.29 ના રોજ તેના ખેતરમાં ખેતી કામ કરતા હતાં તે દરમિયાન કોઇ કારણસર પડી જતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં વૃદ્ધનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ વલ્લભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular